Pages

Sunday, December 11, 2011

જીવન અંજલિ થાજો... મારું.

જીવનમાં એકબીજાના સહવાસ કે સહકાર વગર જીવનની પ્રગતિ શક્ય નથી. જીવન સાર આ જ છે. આપણામાં રહેલું ભાવાત્મક બળ, પ્રગતિ વિષયક વિચારધારા થકી જે તે માનવ સમુદાય કે સમાજવ્યવસ્થામાં અંજલિ રુપ સાબિત થાય છે. જે દ્રઢ ભાવનાનો અભિષેક થયા કરે છે. જીવનના આદર્શોને સામાજીક માહોલમાં ફોલો-ઓન કે અનુસરવા, સમાજને માન્ય છે કે કેમ? જે અઘરુ કામ છે. પણ આઘ્યાત્મિક ઉન્નત જીવન કાજે પ્રેરણાદાયી કે મોટીવેશન સમું સાબિત થાય છે. માનવ જીવનમાં સ્વીકારવા જેવી બાબતો જેમ કે- મિત્રતા, પવિત્રતા, આઘ્યાત્મિકતા, ભાવનાત્મકતા વિચારધારા, શ્રઘ્ધા, વિશ્વાસ, સમાજ સેવા, ધાર્મિક નીતિ-નિયમો, સાત્વિક ખાન-પાન વગેરેમાંથી પસાર થવાનું થાય છે. સમગ્ર સૃષ્ટિનો નિત્યક્રમ છે.
સામાજીક વિકાસ ત્યારે જ સધાય છે જ્યારે સામાજીક માહોલમાંથી વિરલ વ્યક્તિનો ઉદય થયેલ હોય જે સમાજને બેઠો કરવા થનગને છે.
અઘ્યાત્મ વિચારોને અમલી બનાવીને સર્વધર્મને સમજીને, આદર આપીને- ધર્મસાર સમજીને જીવન પસાર કરે ત્યારે જીવન ધન્યતાનો અનુભવ કરે છે. મૈત્રીપૂર્ણ સ્તોત્ર હૈયામાં વહ્યા કરવો જોઇએ જે ‘‘શુભ થાઓ, સારું થાઓ આ જગનું.. સર્વનું ભલુ થાઓ એવી ભાવનાઓની અંજલિ અને પ્રીતિ ચોમેર થાજો...’’
વનસ્પતિ સૃષ્ટિમાં પણ નાનો વેલો વૃક્ષના થડને વીંટળાઇને તેની સહાયથી પાંગરે છે.
મૈત્રી ભાવ રાખે છે, અને પોતે વિકાસ પામે છે. માનવજીવનને સમજાવે છે કે મારા જેવી મૈત્રી રાખો. અને લીલી વનરાજીની સમૃઘ્ધિ મેળવવાનું કહે છે.
તાળી મિત્રો અનેક. સુખ, દુઃખમાં રહે નેક એવો મિત્ર તો એક. ‘‘જે શેવાળ સમી, પાણી સાથે સુકાય.’’ ગાઢ મિત્રતા તો એ જ કહેવાય, ગેરહાજરીમાં પણ મિત્રની હાજરી સાલ્યા કરે...

મિત્રતા તો કૃષ્ણ-સુદામા જેવી, મૈત્રીભાવનામાં અમીરી-ગીરીબી, નાત-જાત, ઊંચ-નીચનો ભેદ હોતો નથી.
માનવજીવન જેણે આપ્યું છે તેનો ઉપકાર માનવો ઓછો ગણાય. જ્યારે જ્યારે માનવ દ્વિધા કે મુશ્કેલીનો અનુભવ કરે છે ત્યારે પરમકૃપાળુ પરમાત્માને યાદ કરે છે. માનવ સમુદાયમાં આદર્શપૂર્ણ સિઘ્ધ પુરુષ કે મિત્રને યાદ કરીને પોતાની મુશ્કેલીઓને હળવી કરવા કોશિશ કરે છે. માનવજીવન મળ્યું છે સંસ્કારોની ંઅંજલિ કરવાને... અંજલિના છંટકાવે... જીવન મારું અંજલિ... થાજો...
જીવનની સાર્થકતા બીજાનું ભલું કરી લેવામાં સાચી માનવતા ગણાય. મહામૂલુ માનવજીવન મળ્યું છે. એમાં માનવ-માનવ વચ્ચે અઘ્યાત્મિકતાની સંવાદિતા સર્જાય. પરસ્પરના ઐશ્વર્યભર્યા સદ્‌ગુણોની પરંપરા રચાતી રહે. પ્રગતિકારક નવોદિત વિચારોની આદાન-પ્રદાન થતી રહે તે અગત્યનું છે. આપણામાં રહેલા કુરિવાજો વિચારશ્રેણીને સમજીને મિત્રતા કેળવાય તે જરુરી છે. આપણા જ પૂર્વજોના નીતિ-નિયમો અનુસાર બાઅદબ સંસ્કારોનું અનુકરણ થતું રહે તેમજ ધાર્મિક ભાવનાઓ ઉદિત થાય. જેમકે રામાયણમાં ભગવાન શ્રી રામ અને શ્રી હનુમાન વચ્ચે મૈત્રીભરી ભાવાત્મક મૈત્રી શ્રી કૃષ્ણ અને સુદામાની મૈત્રી ભાવના, મહારાણા પ્રતાપ અને વીર ભામાશાની મૈત્રી ભાવના તેમજ પરશુરામની માતા પ્રત્યેની આજ્ઞા પાલનની ભાવના વર્તમાન સમયની પેઢીને આદર્શો પૂરા પાડે છે. જે અનુસરવા જરુરી છે. જ્યારે જ્યારે દુઃખ જણાય, ત્યારે કોઇ આદર્શપૂર્ણ વ્યવહાર, વર્તણૂકને પ્રાધાન્યતા આપવી જરુરી ગણાય.
હાલની યુવા પેઢી પશ્ચિમીકરણ કરી રહ્યા હોય તેવું જણાય છે. પશ્ચિમીકરણ આપણા સુસંસ્કારી દેશમાં શોભનીય નથી. સંસ્કૃતિને સંસ્કારોનો સમન્વય એટલે ભારતીયતા અને દેશ પ્રત્યેની આદર્શ નિષ્ઠાપૂર્ણ વર્તણૂક સભ્ય નાગરિક રહેવું એ જ દેશની ખુમારી ગણાય. દેખા-દેખી કે, અહં વૃત્તિ સંતોષાય તે જરુરી નથી. જીવનમાં પ્રેરણા સ્તોત્ર, માનવતાની અંજલિ, ગરીબોની સેવા, ધાર્મિકતા કાજે માનવીની લાગણીઓ, માગણીઓની તૃષા તૃપ્ત કરવી તે જરુરી છે. ક્યારેય અભિમાન, દ્વેષ, અદેખાઇ, નાનમને સ્થાન ન આપવું જોઇએ. આપણામાં રહેલા ઐશ્વર્ય દિવ્ય ગુણો, ખાનદાનીનો ચાર ચાંદ લાગે તેવો વ્યવહારની અંજલિનો અભિષેક થવો જોઇએ. ધર્મ-ધર્મ પ્રત્યેની લાગણીઓ સમજવી જોઇએ. સામાજીક માહોલમાં વર્તાતા કુરિવાજોમાં સ્ત્રી-પુરુષને શોષવાનું થાય છે કે, સમાજના નીતિ-નિયમ મુજબ રહેવાનું થાય છે. જેમાં આદર્શપૂર્ણ વ્યવહાર હોય તે ઈચ્છનીય છે. જ્યારે પૈસાના બળે કે પછી સમાજના ગર્વમાં ગળાડૂબ મોભાના ઓથાર નીચેથી પસાર થવાનું થાય છે. ત્યારે તે વ્યક્તિ લાચાર સમુ જીવન વ્યતિત કરે છે. ઉપેક્ષિત થતું જીવન લાગે છે. પોતાના સંતાનો થકી પણ દુઃખનો અનુભવ કરે છે. માનવજીવન એવું હોવું જોઇએ, જે અંજલિ સમું ઝરણું વહ્યા કરે...
- પરેશ જે. પુરોહિત
જીવનમાં એકબીજાના સહવાસ કે સહકાર વગર જીવનની પ્રગતિ શક્ય નથી. જીવન સાર આ જ છે. આપણામાં રહેલું ભાવાત્મક બળ, પ્રગતિ વિષયક વિચારધારા થકી જે તે માનવ સમુદાય કે સમાજવ્યવસ્થામાં અંજલિ રુપ સાબિત થાય છે. જે દ્રઢ ભાવનાનો અભિષેક થયા કરે છે. જીવનના આદર્શોને સામાજીક માહોલમાં ફોલો-ઓન કે અનુસરવા, સમાજને માન્ય છે કે કેમ? જે અઘરુ કામ છે. પણ આઘ્યાત્મિક ઉન્નત જીવન કાજે પ્રેરણાદાયી કે મોટીવેશન સમું સાબિત થાય છે. માનવ જીવનમાં સ્વીકારવા જેવી બાબતો જેમ કે- મિત્રતા, પવિત્રતા, આઘ્યાત્મિકતા, ભાવનાત્મકતા વિચારધારા, શ્રઘ્ધા, વિશ્વાસ, સમાજ સેવા, ધાર્મિક નીતિ-નિયમો, સાત્વિક ખાન-પાન વગેરેમાંથી પસાર થવાનું થાય છે. સમગ્ર સૃષ્ટિનો નિત્યક્રમ છે. સામાજીક વિકાસ ત્યારે જ સધાય છે જ્યારે સામાજીક માહોલમાંથી વિરલ વ્યક્તિનો ઉદય થયેલ હોય જે સમાજને બેઠો કરવા થનગને છે. અઘ્યાત્મ વિચારોને અમલી બનાવીને સર્વધર્મને સમજીને, આદર આપીને- ધર્મસાર સમજીને જીવન પસાર કરે ત્યારે જીવન ધન્યતાનો અનુભવ કરે છે. મૈત્રીપૂર્ણ સ્તોત્ર હૈયામાં વહ્યા કરવો જોઇએ જે ‘‘શુભ થાઓ, સારું થાઓ આ જગનું.. સર્વનું ભલુ થાઓ એવી ભાવનાઓની અંજલિ અને પ્રીતિ ચોમેર થાજો...’’ વનસ્પતિ સૃષ્ટિમાં પણ નાનો વેલો વૃક્ષના થડને વીંટળાઇને તેની સહાયથી પાંગરે છે. મૈત્રી ભાવ રાખે છે, અને પોતે વિકાસ પામે છે. માનવજીવનને સમજાવે છે કે મારા જેવી મૈત્રી રાખો. અને લીલી વનરાજીની સમૃઘ્ધિ મેળવવાનું કહે છે. તાળી મિત્રો અનેક. સુખ, દુઃખમાં રહે નેક એવો મિત્ર તો એક. ‘‘જે શેવાળ સમી, પાણી સાથે સુકાય.’’ ગાઢ મિત્રતા તો એ જ કહેવાય, ગેરહાજરીમાં પણ મિત્રની હાજરી સાલ્યા કરે... મિત્રતા તો કૃષ્ણ-સુદામા જેવી, મૈત્રીભાવનામાં અમીરી-ગીરીબી, નાત-જાત, ઊંચ-નીચનો ભેદ હોતો નથી. માનવજીવન જેણે આપ્યું છે તેનો ઉપકાર માનવો ઓછો ગણાય. જ્યારે જ્યારે માનવ દ્વિધા કે મુશ્કેલીનો અનુભવ કરે છે ત્યારે પરમકૃપાળુ પરમાત્માને યાદ કરે છે. માનવ સમુદાયમાં આદર્શપૂર્ણ સિઘ્ધ પુરુષ કે મિત્રને યાદ કરીને પોતાની મુશ્કેલીઓને હળવી કરવા કોશિશ કરે છે. માનવજીવન મળ્યું છે સંસ્કારોની ંઅંજલિ કરવાને... અંજલિના છંટકાવે... જીવન મારું અંજલિ... થાજો... જીવનની સાર્થકતા બીજાનું ભલું કરી લેવામાં સાચી માનવતા ગણાય. મહામૂલુ માનવજીવન મળ્યું છે. એમાં માનવ-માનવ વચ્ચે અઘ્યાત્મિકતાની સંવાદિતા સર્જાય. પરસ્પરના ઐશ્વર્યભર્યા સદ્‌ગુણોની પરંપરા રચાતી રહે. પ્રગતિકારક નવોદિત વિચારોની આદાન-પ્રદાન થતી રહે તે અગત્યનું છે. આપણામાં રહેલા કુરિવાજો વિચારશ્રેણીને સમજીને મિત્રતા કેળવાય તે જરુરી છે. આપણા જ પૂર્વજોના નીતિ-નિયમો અનુસાર બાઅદબ સંસ્કારોનું અનુકરણ થતું રહે તેમજ ધાર્મિક ભાવનાઓ ઉદિત થાય. જેમકે રામાયણમાં ભગવાન શ્રી રામ અને શ્રી હનુમાન વચ્ચે મૈત્રીભરી ભાવાત્મક મૈત્રી શ્રી કૃષ્ણ અને સુદામાની મૈત્રી ભાવના, મહારાણા પ્રતાપ અને વીર ભામાશાની મૈત્રી ભાવના તેમજ પરશુરામની માતા પ્રત્યેની આજ્ઞા પાલનની ભાવના વર્તમાન સમયની પેઢીને આદર્શો પૂરા પાડે છે. જે અનુસરવા જરુરી છે. જ્યારે જ્યારે દુઃખ જણાય, ત્યારે કોઇ આદર્શપૂર્ણ વ્યવહાર, વર્તણૂકને પ્રાધાન્યતા આપવી જરુરી ગણાય. હાલની યુવા પેઢી પશ્ચિમીકરણ કરી રહ્યા હોય તેવું જણાય છે. પશ્ચિમીકરણ આપણા સુસંસ્કારી દેશમાં શોભનીય નથી. સંસ્કૃતિને સંસ્કારોનો સમન્વય એટલે ભારતીયતા અને દેશ પ્રત્યેની આદર્શ નિષ્ઠાપૂર્ણ વર્તણૂક સભ્ય નાગરિક રહેવું એ જ દેશની ખુમારી ગણાય. દેખા-દેખી કે, અહં વૃત્તિ સંતોષાય તે જરુરી નથી. જીવનમાં પ્રેરણા સ્તોત્ર, માનવતાની અંજલિ, ગરીબોની સેવા, ધાર્મિકતા કાજે માનવીની લાગણીઓ, માગણીઓની તૃષા તૃપ્ત કરવી તે જરુરી છે. ક્યારેય અભિમાન, દ્વેષ, અદેખાઇ, નાનમને સ્થાન ન આપવું જોઇએ. આપણામાં રહેલા ઐશ્વર્ય દિવ્ય ગુણો, ખાનદાનીનો ચાર ચાંદ લાગે તેવો વ્યવહારની અંજલિનો અભિષેક થવો જોઇએ. ધર્મ-ધર્મ પ્રત્યેની લાગણીઓ સમજવી જોઇએ. સામાજીક માહોલમાં વર્તાતા કુરિવાજોમાં સ્ત્રી-પુરુષને શોષવાનું થાય છે કે, સમાજના નીતિ-નિયમ મુજબ રહેવાનું થાય છે. જેમાં આદર્શપૂર્ણ વ્યવહાર હોય તે ઈચ્છનીય છે. જ્યારે પૈસાના બળે કે પછી સમાજના ગર્વમાં ગળાડૂબ મોભાના ઓથાર નીચેથી પસાર થવાનું થાય છે. ત્યારે તે વ્યક્તિ લાચાર સમુ જીવન વ્યતિત કરે છે. ઉપેક્ષિત થતું જીવન લાગે છે. પોતાના સંતાનો થકી પણ દુઃખનો અનુભવ કરે છે. માનવજીવન એવું હોવું જોઇએ, જે અંજલિ સમું ઝરણું વહ્યા કરે...

0 comments: